Vishesh News »

સાપુતારાના સી.અો.ની બદલી રોકવા આજે સાપુતારા બંધ રહેશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૦૩ ઃ બે દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં નવાગામ (સાપુતારા)નાં ગ્રામનોઍ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહિ થાય તો સાપુતારા સજ્જડ બંધ પાળી રસ્તા રોકો આંદોલન અને જરૂર પડે તો આગામી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. જે સંદર્ભે સોમવારેથી સંપૂર્ણ સાપુતારા બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે.તે માટે સાપુતારા પોલીસ સ્ટેશને પ્રથમ તબક્કાનું આવેદન આપ્યુ છે. સાપુતારામાં બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની કાયમી નિમણુક કરવામાં આવી હતી. ત્યારે નવાગામ સહીત સાપુતારા ખાતે લોકોમાં ખુશી હતી. પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનારા નવા ચીફ ઓફિસરની ઍકાઍક બદલી કરી દેવાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્ના છે. જો બદલી નહીં અટકે તો ગ્રામજનોઍ સાપુતારા બંધ પાળી રસ્તા રોકો આંદોલન અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે.સાપુતારામાં છેલ્લાં ૧૦ વર્ષથી ઇનચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવતુ હતુ. જેના પગલે સાપુતારા અને નવાગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો જ ન હતો. આથી બે માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ ઍરિયાનાં ચીફ ઓફિસર તરીકે ડો.ચિંતન વૈષ્ણવની કાયમી નિમણૂક કરવામાં આવી હતી. આ બે માસ દરમિયાન સાપુતારા અને નવાગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને ઍ માટે પણ સુંદર આયોજન કર્યું હતુ. પરંતુ સરકાર દ્વારા તેમની બે ત્રણ દિવસ પૂર્વે જ ભાવનગર ખાતે સિવિલ ડિફેન્સ વિભાગમાં ડેપ્યુટી કંટ્રોલર તરીકે બદલી કરી દેવામાં આવતાં નવાગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્ના છે. જો રાજ્ય સરકાર દ્વારા બદલી રદ ન કરવામાં આવે તો સાપુતારા અને નવાગામના લોકોઍ સાપુતારા બંધ રાખી રસ્તા રોકો આંદોલન સહીત ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી જે બાબતોને અનુલક્ષીને સોમવારેથી ગાંધી ચિંધ્યા માર્ગે સાપુતારા સજ્જડ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લીધો છે.ત્યારે રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણીનાં પડઘમ વચ્ચે લોકોને વાચા આપશે કે પછી લોકશાહીનું હનન કરશે તે આવનાર સમય જ બતાવશે.