Vishesh News »

રાબડાના વિશ્વંભરી તિર્થધામમાં મકરસંક્રાંતિઍ ગૌપૂજન-મહાયજ્ઞ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા શ્રી વિશ્વંભરી યાત્રાધામે મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળામાં ગૌ પૂજન અને મહાયજ્ઞનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલ માઁ વિશ્વભરી તિર્થયાત્રા ધામે ગીર ગાયોની ઍક આદર્શ ગૌશાળા (વૈકુંઠ ધામ) આવેલ છે. ગૌ ઉપાસના, ગૌ સંવેદના અને ગૌ ચેતના દરેક માનવીમાં જાગૃત થાય તેવા ઉદેશ્યથી તા.૧૪મી જાન્યુઆરીના રોજ મકરસક્રાંતિના પર્વ પર ધામના સ્થાપક મહાપાત્રની પ્રેરણાથી આ ધામની ગૌશાળામાં ગૌપૂજન અને મહાયજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોઍ પોતાના હસ્તે ગાયોને લીલો ઘાસચારો, ખોળ, દાણ, ગોળ લાડુ ખવડાવીને ધન્યતા અનુભવી હતી. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, રમેશભાઈ ડોબરિયા, રાબડા ગામના આગેવાન ઠાકોરભાઈ પટેલ, ભદ્રેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહીને ગૌપૂજન અને મહાયજ્ઞનો લાભ લીધો હતો.