Vishesh News »

સેલવાસના યુવકે સાયકલયાત્રા કરી રામલલ્લાના દર્શન કર્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૯ ઃ સેલવાસના નીલકંઠ પટેલે સેલવાસથી અયોધ્યા સુધી સાયકલ યાત્રા કરી રામ ભગવાનના દર્શન કર્યા હતા. નીલકંઠ પટેલે સેલવાસ થી શરૂ કરેલી અયોધ્યાની યાત્રામાં ૧૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને આ યાત્રા પૂર્ણ કરવામાં ૧૧ દિવસ લાગ્યા હતા. યાત્રા દરમિયાન રામ ભક્તો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો અને નીલકંઠને સાયકલ યાત્રાની હિંમત વધાવી હતી. આ યાત્રામાં નીલકંઠ સાથે ઍમના ભાઈ પણ બાઈક સાથે જોડાયા હતા. નીલકંઠ પટેલે રામલાલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ સેલવાસના તમામ યુવાઓ, બહેનોને અને વડીલોને પણ અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે અપીલ કરી હતી.