Vishesh News »

વાપી ટાઉન-ઉ.ન.માં સ્વ. મોરારજી દેસાઈને પુષ્પાંજલિ અપર્ણ કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ આજે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને વલસાડ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગવાસ મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વાપી શહેર ભાજપ સંગઠન અને પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ હોદ્દેદારોઍ વાપી ટાઉન અને ઉદ્યોગનગર ખાતે આવેલ મોરારજીભાઈ દેસાઈની અર્ધપ્રતિમાને ફુલહાર તથા સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આજે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને વલસાડ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત આજે વાપીના નગરપાલિકા પાસે આવેલ મોરારજી શોપિંગ સેન્ટર અને વાપી ઉદ્યોગ નગરના મોરારજી સર્કલ ખાતે આવેલ તેમની અર્ધપ્રતિમાને વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ અને વીઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલની આગેવાનીમાં ફુલહાર તથા સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઈ, વલસાડ જિલ્લા આર્થિક સેલના સંયોજક મહેશભાઈ ભટ્ટ તેમજ વાપી શહેર ભાજપના હોદ્દેદારો અને પાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્ના હતાં.