(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૯ ઃ ભદેલીમાં ભારતરત્ન સ્વ. મોરારજીભાઈ દેસાઈની ૧૨૮ મી જન્મ જયંતીઍં સાદગી ભર્યો પરંતુ અર્થ સભર કાર્યક્રમ મોરારજી દેસાઈ ગ્રામ વિકાસ સમિતિ, ગ્રામ પંચાયત અને જે શાળામા અભ્યાસ કરેલો તે શાળાના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોઍ સુંદર કૃતિઓ રજૂ રાખી હતી. સમિતિના પ્રમુખ, આ જ ગામના વતની આર જે પટેલ ઍ પ્રાસંગિક અને હેતુ લક્ષી પ્રવચન કર્યું હતું. મુખ્ય મહેમાન ર્ડો સુંદર્શન આયાંગર પૂર્વ કુલપતી ગુજરાત વિદ્યાપીઠે વિદવત્તા યુક્ત પ્રવચન માં તેઓના જીવન કવનની અનેક વાતો વણી લીધી હતી અને ઉદબોધન કર્યું હતું. જગુભાઈ ટંડેલ નટુભાઈ દેસાઈ વગેરેઓઍ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા, વકૃત્વ સ્પર્ધાના બાળકોને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ થયું હતું. તથા સ્વચ્છતાના ગીતો અને કાર્યક્રમ પણ યોજાયા હતાં.