Vishesh News »

ઉમરગામ ટાઉનમાં મહાગણપતિ મંદિરનો પાટોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૯ : ઉમરગામ ટાઉન ખાતે પૌરાણિક શ્રી મહાગણપતિ મંદિરમાં તાલુકા તેમજ મહારાષ્ટ્ર સેલવાસ સહિત સમગ્ર ગુજરાત ભરમાંથી ભક્તો દર્શન અર્થે આવતા જોવા મળે છે. તા. ૨૮ ફેબ્રુઆરી બુધવારના રોજ મંદિરના પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પ્રથમ પૂજ્ય ભગવાન ગણપતિ દાદાના દર્શન માટે ઉમટી પડી હતી. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કથા જોવા મળી હતી. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર મહા ગણપતિ તથા રિદ્ધિ સિદ્ધિ માતાના દર્શન કરી ભક્તોઍ ધન્યતા અનુભવી હતી. પાવન પ્રસંગે ભક્તોઍ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બ્રિટિશ શાસન દરમિયાન વડોદરાથી વહાણમાં મહા ગણપતિની મૂર્તિ લાવી સ્થાપિત કરવામાં આવી હતી. ઉમરગામ ટાઉન સ્થીત મહાગણપતિ મંદિરમાં આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતાં તેઓ સહ પરિવાર દર્શન અર્થે આવે છે કેટલાક ભક્તો દર મંગળવારે પગપાળા મહા ગણપતિના દર્શન માટે જતા જોવા મળે છે.