Vishesh News »

ભદેલીમાં શાળા સ્વચ્છતા હાથ ધરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ તાલુકાના ભદેલી ગામમાં મોરારજી દેસાઈ ગ્રામ વિકાસ સમિતિ દેશના માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના ૧૨૮ માં જન્મદિને તેમને આદરાંજલિ આપવાનો સાદગીસભર કાર્યક્રમ તા. ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુરૂવારે સવારે ૧૦ કલાકે ભદેલી દેસાઈપાર્ટી ગામના મોરારજી દેસાઈ મેમોરીયલ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેશે. ભદેલી ગામની જે પ્રાથમિક શાળામાં મોરારજી દેસાઈઍ પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે શાળામાં સ્વ. મોરારજીભાઈ દેસાઈના જન્મદિનની પૂર્વ સંધ્યાઍ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.