Vishesh News »

રખોલી પૂલ પરથી યુવકે મોતની છલાંગ લગાવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૮ ઃ રખોલી દમણગંગા નદીનો પૂલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બની રહ્નાં છે. અહીંથી અવારનવાર લોકો કુદીને મોતને વહાલું કરી રહ્ના છે. મળતી માહિતી અનુસાર કરાડ ખાડી પાડા ખાતે રહેતો યુવક કૃણાલ સુરેશભાઈ ગંગોડાઍ આજરોજ સવારે કોઈ અગમ્ય કારણસર રખોલી પૂલ પરથી કૂદીને મોતને વહાલું કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કયાં કારણસર આત્મહત્યા કરી ઍનું કારણ જાણી શકાયું નથી. રખોલી પુલ પરથી અવારનવાર આત્મહત્યાના સમાચારો આવે છે. પ્રશાસન દ્વારા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ મુકવામાં આવ્યા હોવા છતાં પણ આવી ઘટના વારંવાર બની રહી છે. ત્યારે પુલની બંને બાજુ જાળી લગાવવામાં આવે તો આવી ઘટનાને રોકી શકાય ઍમ છે.