Vishesh News »

ખેરગામમાં ત્રિ-મંદિરનો ૧૬મો પાટોત્સવ ઉજવાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ખેરગામ, તા. ૨૮, ખેરગામના સુપ્રસિદ્ધ ઝંડા ચોક પાસેના ભવાની માતાના મંદિર પાસે આવેલ સહયોગ સોસાયટીના બજરંગદાસ બાપા,સાંઈબાબા તથા બાબા રામદેવપીર- ત્રિ મંદિરે સોળમો પાટોત્સવ ૨૯ ફેબ્રુઆરી ગુરૂવારે ઉજવાશે. આગલા દિવસે બુધવારની સંધ્યા ટાણે સાત વાગે પાર્ટીના પ્રસિદ્ધ સુરદાસજી ભજનીકની ભજન સંધ્યા ભજનોની રમઝટ બોલાવશે જેમાં મિનેશ પણ સાથ આપશે. ખેરગામમાં સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી અને બજરંગદાસ બાપા સાંઈ ભક્તો દ્વારા બપોરે મહાપ્રસાદનુ પણ વિતરણ થશે.