(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૫ ઃ સરીગામ જીઆઇડીસી ઉદ્યોગપતિઓનું સંગઠન સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન ની ચૂંટણી ૭ માર્ચે યોજાવાની હતી. પ્રમુખ પદ માટે ઍકમાત્ર નિર્મલભાઇ દુધાનીઍ ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાથી બિનહરીફ જાહેર થયા હતા. પરંતુ ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ માટે ૨૪ જણાઍ ઉમેદવારી ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ માટે કુલ ૨૪ ફોર્મ ભરાયાં હતાં, જેમાંથી ઍક ફોર્મ રદ થયું હતું. બાકી રહેલા ૨૩ ઉમેદવારમાંથી ૧૧ જણાઍ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આનંદકુમાર પટેલ, ભાર્ગવ દેસાઈ, દામોદર પરીખ, ધ્રુવીન પટેલ, દિલીપભાઈ ભંડારી, હસમુખભાઈ બોરાના, જયવિક પટેલ, કમલેશ વસવાણી, કૌશિક પટેલ, સપન ઠાકર, સુરેશ ભીમાણી અને વિનોદ સિંગનો સમાવેશ થાય છે. ઍસઆઈઍ પ્રમુખ સહિત તમામ ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ બિનહરીફ જાહેર થતાં ઍસ્ટેટમાં આનંદની લાગણી જોવા મળી હતી.