Vishesh News »

વલસાડ જીલ્લામાં ૧૩ પીઆઇ અને ૧૭ પીઍસઆઇ ની બદલી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા ૨૩ ઃ વલસાડ જિલ્લા પોલીસવડાઍ જિલ્લામાં ખાલી પડેલી જગ્યા ઉપર તેમજ બહારથી આવેલા નવા પીઆઇઅોની સાથે અગાઉથી જિલ્લામાં ફરજ બજાવતા ઍવા ૧૩ પીઆઇ અને ૧૭ પીઍસઆઇની વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં બદલી અને નિમણૂક કરવામાં આવી છે. જેમાં મહત્વની ઍવી ઍલસીબીમાં પીઆઇ ઉત્સવ બારોટ અને ઍસઓજીમાં પીઆઇ રોઝની નિમણૂક કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા દ્વારા આજે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઇ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ખાલી પડેલી જગ્યાઓ તથા જિલ્લા બહારથી નવા આવેલા પીઍસઆઇ, પીઆઇઓની જે તે પોલીસ સ્ટેશનમાં બદલી અને નિમણૂક કરવામાં આવી છે. વલસાડ ઍલસીબીના પીઆઇ તરીકે ઉત્સવ બારોટની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ તરીકે ઍ.યુ.રોઝની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત જિલ્લાના વડા મથક વલસાડ શહેર પોલીસ મથકના પીઆઇ તરીકે બી. ડી. જિતિયાની વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં બદલી કરી તેમના સ્થાને જિલ્લા બહારથી વલસાડ જિલ્લામાં પોસ્ટિંગ પામેલા ડી.ડી. પરમારની નિમણૂક કરાઇ છે. જ્યારે ડુંગરાના પીઆઇ મયુર પટેલને વાપી ઉદ્યોગનગર, ઍસ.બી. ગોહિલને ડુંગરા પોલીસ મથક, જે.કે. રાઠોડને વાપી ટાઉન પોલીસ મથક, ઍસ.ડી. ચૌધરીને ઉમરગામ પોલીસ મથક, પારડીમાં જી.આર. ગઢવી, મરીન નારગોલમાં ઍસ.ઍન. ગડુ, આઇ.યુ.સી.ઍ.ડબલ્યુ. વલસાડના ઍન.ઍસ. વસાવા અને સીપીઆઇ વલસાડના પીઆઇ તરીકે પી.જી. ચૌધરીની નિમણૂક કરાઇ છે. જ્યારે જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૭ પીઍસઆઇઅોની પણ આંતરીક બદલીઅો કરવામાં આવી છે.