Vishesh News »

૨૬મીઍ સેલવાસમાં ગૃહમંત્રી અમિત શાહ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) સેલવાસ,તા.૨૩ઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ ૨૬ ફેબ્રુઆરીઍ સેલવાસ આવી રહ્ના છે. તેમના આગમનથી ભાજપના નેતાઓ ભારે ખુશ છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. ગૃહમંત્રીની સભાને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રઍ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમિત શાહ સાયલી ક્રિકેટ સ્ટેડિયમ મેદાનમાં સામાન્ય સભાને સંબોધશે. ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહની સેલવાસની આ બીજી મુલાકાત છે. તેઓ અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. માનવામાં આવે છે કે અમિત શાહ ભાજપના નેતાઓને મળીને લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર આપી શકે છે.