Vishesh News »

અથોલાના આદિવાસી મહાસંમેલનમાં નાસિકથી ઘોડેસવાર ૪ યુવતી આવશે

નાનાપોîઢા, તા. ૧૨- સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અથોલા ગામ ખાતે યોજાનાર ૧૩/૧૪/૧૫ /૨૦૨૪ જાન્યુઆરી આદિવાસી સાંસ્કૃતિક ઍકતા મહાસંમેલન યોજાઇ રહ્નાં છે ત્યારે મહારાષ્ટ્ર થી ચાર દીકરીઓ ઘોડા પર બેસીને આદિવાસી સંસ્કૃતિ પ્રોગ્રામમાં આવવા માટે મહારાષ્ટ્રના નાસિકથી સેલવાસ ખાતે ૧૧/૧/૨૦૨૪ ના દિન ઍ નાસિક ખાતેથી નીકળ્યા હતાં. ત્યારે ૧૨/૧/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્યના છેવાડે આવેલ કપરાડા તાલુકાના સુથારપાડા ગામ ખાતે પહોંચ્યા હતા ઍ દરમિયાન કપરાડા તાલુકાના આદિવાસી સમાજના આગેવનો દ્વારા સુથારપાડા ખાતે ચારે દિકરીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઍ સ્વાગત કર્યા બાદ તેઓ સેલવાસ ખાતે ઓથોલા ગામ યોજાનાર આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલનમાં માટે રવાના થયા હતા.