Vishesh News »

પળગામમાં મકાન ભડકે બળ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૩ ઃ ઉમરગામ તાલુકાના પળગામ માહ્નાવંશી ફળિયામાં બપોરે ઍક મકાનમાં આગ લાગતા ભગદડ મચી જવા પામી હતી. ઘટના અંગે ઉમરગામ નોટીફાયડ અને ઉમરગામ નગરપાલિકા વિભાગને જાણ કરાતા ફાયર બ્રાઉઝર લઈ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આશરે ઍક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ કયા કારણથી લાગે તે હજુ જાણી શકાયું નથી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ બે મકાનો અને ઘરવખરી બળી ને ખાસ થઈ ગઈ હતી.