Vishesh News »

સેલવાસમાં આવતીકાલે રોજગાર મેળો યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૨૧ ઃ દાનહમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા શુક્રવારે તમામ ગ્રામ પંચાયત કચેરીઓમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના બેરોજગાર યુવક-યુવતીઓને રોજગાર મેળાનો લાભ લેવા નિયામક ઍસ.ક્રિષ્ના ચૈતન્યઍ અનુરોધ કર્યો છે. આ વખતે શહેરના ઉદ્યોગ ભવન ખાતે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર મેળામાં ૨૨૯ કારખાનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. બેરોજગારોની સુવિધા માટે સરપંચ, વોર્ડ સભ્ય અને પંચાયત સચિવને ગ્રામ પંચાયતોમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.