Vishesh News »

ઉમરગામ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૧૯ પ્રશ્નો રજૂ કરાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૧ ઃ ઉમરગામ તાલુકા મામલતદાર કચેરી ખાતે ૨૧ ફેબ્રુઆરી બુધવારના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા મામલતદાર જૈનીશ પાંડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પી ડબ્લ્યુ ડી, મામલતદાર કચેરીને લગતા કુલ ૧૯ જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. જે પૈકીના ૧૬ જેટલા પ્રશ્નોનો નિકાલ કરાયો હતો. સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નો રજૂ કરવા આવેલ અરજદારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. બેઠકમાં પીડબ્લ્યુડ વિભાગ તાલુકા પંચાયત પાણી પુરવઠા વીજ વિભાગ સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્ના હતા. ઉમરગામ મામલતદાર કચેરીમાં અગાઉ પણ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન થતું રહ્નાં છે પરંતુ જે તે વખતે અરજદારોઍ કલાકો સુધી ભર તડકે ઉભા પગે પ્રતીક્ષા કરવી પડતી હતી. ભૂતકાળના કડવા અનુભવને ધ્યાને લેતા વર્તમાન સમયમાં તંત્રની કામગીરીને અરજદારોઍ બિરદાવી હતી.