Vishesh News »

બીલીમોરા ડેપોની ૩૫ બસો વાંસી-બોરસી જશે ઃ લોકલ ટ્રીપો રદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૨૧ ઃ નવસારી ના જલાલપોર તાલુકાના વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમને લઈને આજે ઍસટી નિગમની બસો ફાળવવામાં આવતા કેટલીક લોકલ ટ્રીપો રદ થશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે ઍસટી વ્યવહાર પર અસર પડશે. બીલીમોરા ઍસટી ડેપોની ૮૧માંથી ૩૫ જેટલી બસો કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા મોટાભાગની લોકલ ટ્રીપો રદ કરાઈ છે. ઍક્સપ્રેસ રૂટો પર બસો નિયમિત દોડશે પરંતુ મોટાભાગની લોકલ બસો રદ કરાતા હજારો દૈનિક અવર જવર કરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. જો કે કયા રૂટ પર બસોની ટ્રીપ રદ રહેશે તે બાબતે ડેપો મેનેજરને પૂછતાં ઉચ્ચ અધિકારીની આડમાં માહિતી આપવાની મનાઈ કરી હતી.