Vishesh News »

ધરમપુરમાં આખલાઍે આધેડને શિંગડે ચઢાવ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૨૦ ઃ ધરમપુર નગરના મુખ્ય રસ્તા ઉપર રખડતા અને રોડની વચ્ચે જ ઍકબીજા સાથે લડતા અને રોડની વચ્ચે અડિંગો જમાવી બેસી જતા આખલાના ત્રાસના લઇને ઉઠેલી બૂમરાણ વચ્ચે મ્યુઝીયમ આંબેડકર સર્કલ પાસે તોફાને ચડેલા આખલાને છુટા પાડવા લાકડીના સપાટા પાડનાર આધેડને આખલાઍ હવામાં ઉછાળતા ઇજા પહોંચી હતી. ધરમપુરનગરના મુખ્ય રસ્તા ઉપર રખડતા અને રોડની વચ્ચે જ ઍકબીજા સાથે લડતા અને રોડની વચ્ચે અડિંગો જમાવી બેસી જતા આખલાના ત્રાસના લઇને ધરમપુર નગરની જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. જ્યારે આવા ઢોરો રસ્તે ચાલતા રાહદારીઓ પર હુમલો કરી ઈજા પહોંચાડતા હોવાના બનાવો પણ નગરમાં બનવા પામ્યા છે. મુખ્ય હાર્દ સમા ત્રણ દરવાજા ઍસ. ટી. ડેપો. આસુરા ઝાપા. આસુરા ચાર રસ્તા સહીતના ભરચક બજારના રોડ પર અડિંગો જમાવી બેસી જતા હોય છે.શહેરના વાહનો તથા રાહદારીઓથી ભરચક રહેતા મ્યુઝીયમ બાબા આંબેડકર સર્કલ ખાતે અચાનક બે આખલાઓ તોફાને ચડ્યા હતા, તોફાને ચડેલા આખલાને છુટા પાડવા માટે ત્યાં હાજર આધેડ લાકડીના સપાટા મારવા લાગ્યો હતો. ગુસ્સે ભરાયેલા આખલાઍ આધેડને હવામાં ઉછાળતા ઇજા પહોંચી હતી.