Vishesh News »

વાપીમાં જય ભવાની, જય શિવાજીના નારા ગુંજયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ વાપીમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪ મી જન્મ જયંતીની ભારે ધામધૂમથી શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં છત્રપતિ શિવાજી મહારાજના ચાહકો ઉપસ્થિત રહ્ના હતાં. વાપીના ચણોદ વિસ્તારમાં આજે બપોરે ૩ કલાકે રામ મંદિર ચણોદ કોલોનીથી યુગ પુરુષ શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ યુવા પ્રતિષ્ઠાનનાં હોદ્દેદારો પ્રમુખ દર્શન દેવરે, ઉપપ્રમુખ નિખિલ રાજે, પપ્પુ દેવસરકર, સપ્નીલ ગાંદરે અને કમિટી દ્વારા ખૂબજ ઉત્સાહ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રથી સ્પેશિયલ ઢોલ તાશાની સાથે ખૂબ મોટી સંખ્યામાં જય ભવાની જય શિવાજી, જયશ્રી રામનાં ગગનભેદી નારાઓ સાથે લોકો શોભાયાત્રામાં જાડાયા હતાં. આ શોભાયાત્રામાં ભાજપ આર્થિક સેલનાં જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ, ભાજપ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી ગીતાબેન પટેલ, પ્રદેશ યુવા ભાજપ મંત્રી ભાવિકા ઘોઘારી, ભાજપ નોટીફાઇડ સિનિયર ઉપપ્રમુખ અરવિંદભાઈ ઘોઘારી, જિલ્લા યુવા ભાજપ મંત્રી અંકિત ત્રિપાઠી, ડુંગરાનાં ભાજપનાં કાર્યકર અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ દીપકભાઈ પટેલ, સિદ્ધિવિનાયક કેશ - ક્રેડીટ સોસાયટી લી. ચણોદ કોલોનીનાં ચેરમેન ઉદયસિંહ ઘોરપડે, કમલસિહ રાજપૂત, પંકજ સરોજ, શૈલેન્દ્ર મિશ્રા, ખૂબ મોટીસંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતાં.