Vishesh News »

ઍસઆઈઍમાં પ્રમુખ તરીકે નિર્મલ દુધાની બિનહરીફ જાહેર થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૯ ઃ સરીગામ ઍસઆઈઍની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રમુખપદ માટે ઍકમાત્ર નિર્મલ દુધાનીઍ ઉમેદવારી પત્રક ભરતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. સરીગામ જીઆઇડીસી ઉદ્યોગપતિઓનો સંગઠન સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણી ૭ મી માર્ચે યોજાવવાની છે તે માટે ઉમેદવારી પત્રક ભરવાનો ૧૯ મી ફેબ્રુઆરીઍ અંતિમ દિવસ હતો ઍસઆઈઍ પ્રમુખપદ માટે ઍકમાત્ર નિર્મલભાઇ દુધાનીઍ ઉમેદવારી ફોર્મ ભર્યું હોય બિનહરીફ ચૂંટાયેલાં જાહેર થયા હતા. આમ ઍસઆઈઍ પ્રમુખ માટે સ્થિતિ સ્પષ્ટ થઈ જવા પામી છે અને ઍસ્ટેટના તમામ ઉદ્યોગપતિઓઍ અભિનંદન આપ્યા હતા. ઍસઆઈઍ પ્રમુખ સમરસ બન્યા છે પરંતુ ૧૨ ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરો માટે ૨૪ જેટલા ઉમેદવારો આનંદકુમાર પટેલ, ભાર્ગવ દેસાઈ, ભાવિન પટેલ, દામોદર પરીખ, ધર્મેશ પટેલ, ધ્રુવીન પટેલ, દિલીપભાઈ ભંડારી (તાલુકા ભાજપ પ્રમુખ) હસમુખભાઈ બોરાના, જયવીક પટેલ, જયંતિ દામા, જયેશ પટેલ, કમલેશ વસવાની, કૌશિક પટેલ, પંકજ રાય, રાજેશ પાંચાલ, રાજેશ અઘેરા, રતિકાંત તિવારી, સપન ઠાકર, સામીન રીઝવી, શિવપ્રકાશ સિંગ, સુરેશ ભીમાની, સુશીલકુમાર સિંગ, વિજય ગજેરા અને વિનોદ સિંગે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ૪ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે અંતિમ યાદી ૨૬ મી ફેબ્રુઆરી રોજ જાહેર કરવામાં આવશે તારીખ ૭ માર્ચ ૨૦૨૪ ના રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે.