Vishesh News »

વલસાડમાં જીલ્લાની આંગણવાડી બહેનોઍ રેલી કાઢી આવેદન આપ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ યશોદા મૈયા નામના યુનિયન હેઠળ વલસાડ જિલ્લાની આંગણવાડીની બહેનો આજરોજ કલ્યાણી બાગમાં મોટી સંખ્યામાં ઍકત્ર થઈ રેલી આકાર વલસાડ જિલ્લા કલેકટર કચેરીઍ જય વર્ષો જૂની માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વલસાડ જિલ્લાની આંગણવાડીની બહેનોઍ આજરોજ વલસાડના જાણીતા કલ્યાણ બાગમાં ઍકત્ર થયા હતા અને યશોદા મૈયા નામના યુનિયન હેઠળ આંગણવાડીની બહેનોઍ રેલી આકારે ડીઍસપી કચેરી થઈ કલેક્ટર કચેરી પહોંચી પગાર વધારો, ઓનલાઇન કામગીરી બંધ કરવા , કામના કલાકો જેવા મુખ્ય માંગણીઓ તેમજ સુ-ીમ કોર્ટના ચુકાદા મુજબ યોજનાને સંસ્થા તરીકે ગણવા જેવી માંગણીઓ સાથે વલસાડ જિલ્લા અધિક કલેકટર ઍ આર જહાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.