Vishesh News »

૫ુલવામાના શહીદોને વાપીમાં શ્રદ્ધાંજલિ અપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વાપીમાં આજે પુલવામાં આતંકી હુમલા માં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ મા પુલવામાં ખાતે ભારતીય સૈનિક ટુકડીના જવાનો ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જવાનો શહીદ થયા હતા તે વીર જવાનોને આજે વાપીના રેમન સર્કલ ખાતે વાપી શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સતિષભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી ભરતભાઈ પટેલ, વાપી શહેર ભાજપ મહામંત્રી વિરાજ દક્ષિણી તેમજ વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે યુવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતાં.