Vishesh News »

વાપીમાં આજે સરસ્વતી પૂજા નિમિત્તે કાર્યક્રમો યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૩ ઃ વાપીમાં આજે શ્રી ૧૦૮ સરસ્વતી પૂજા મહોત્સવમાં ભોજપુરી ગાયક કલાકાર મનોજ તિવારી અને અલકા ઝા ઉપસ્થિત રહેશે. વાપીમાં ઉદ્યોગનગરની સ્થાપના બાદ અનેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં રોજીરોટી મેળવવા માટે પહોંચ્યા હતા જેમાં બિહાર રાજ્યના લોકો સૌથી મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા હતા જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે સરસ્વતી પૂજા મહોત્સવનું આયોજન કરે છે જે અંતર્ગત આજે તા. ૧૪-૨-૨૦૨૪ ને બુધવારના રોજ બિહાર વેલફેર ઍસોસિઍશનના પ્રમુખ વિપુલ સિંહ અને તેમની ટીમ દ્વારા સરસ્વતી પૂજા મહોત્સવ નિમિત્તે સુર સંધ્યા કાર્યક્રમનું આયોજન વીઆઇઍના મેદાનમાં કરવામાં આવ્યું છે જેમાં ભોજપુરી સમ્રાટ અને દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી તેમજ અલકા જા ઉપસ્થિત રહેશે.