(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા.૧૩ઃ વાપી નજીકના કરવડ ગામે ગઈકાલે રાત્રે ૩ અજાણ્યા ચોરોઍ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં ઘૂસી ઍક કિલો ચાંદીની ભગવાનની મૂર્તિ તથા અન્ય સાધનોની ચોરી કરી ફરાર થઈ જતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. પ્રા વિગત મુજબ વાપી તાલુકાના કરવડ ગામના નેવતી ફળિયામાં રહેતા ગામના સરપંચ અને અગ્રણી દેવેન્દ્રભાઈ પટેલનું ઘર આવેલ છે જ્યાં ગઈકાલે રાત્રે ત્રણથી ચાર કલાક દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ચોરોઍ તેમના ઘરના પાછળનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખવામાં આવેલ ભગવાનની ચાંદીની મૂર્તિ તથા અન્ય દેવી-દેવતાની ચાંદીની મૂર્તિઓ ચોરી કરી રહ્ના હતા જે દરમિયાન દેવેન્દ્રભાઈ પટેલના પુત્ર જાગી જતા તેઓઍ તેમને જાણ કરી હતી જેથી તેઓ તેમના ઘરના બાળકની માં આવી બૂમ પાડતા હાથમાં ધારદાર હથિયાર અને ચોરી કરેલો ચાંદીનો સામાન ભરેલ થેલો લઈને ત્રણ જેટલા અજાણ્યા ચોરો ભાગી ગયા હતા જે અંગેની જાણ ગામમાં થતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ડુંગરા પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી દેવેન્દ્રભાઈ પટેલના ઘરે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ત્રણેય અજાણ્યા ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.