Vishesh News »

બીલીમોરા સ્ટેશને મુસાફરો જીવના જાખમે ટ્રેક અોળંગી રહ્ના છે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૭ ઃ બીલીમોરા રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ હોવા છતાં મુસાફરો શોર્ટકટ મારવાની લ્હાયમાં રેલ્વે ટ્રેક ઓળંગી રહયા છે. ઉતાવળના કારણે ટ્રેનમાંથી ઉતરી રેલ્વે ટ્રેક પર છલાંગ લગાવી ઍક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જતા મુસાફરો સાથે અનિચ્છનીય દુર્ઘટના ઘટવાની શકયતા રહેલી છે.સલામતીની ચિંતા કર્યા વગર રેલ્વે ટ્રેક ઓળંગતા મુસાફરો પર બીલીમોરા રેલ્વે પોલીસ ચાંપતી નજર રાખી કડક દંડનીય કાર્યવાહી કરે ઍ અત્યંત જરૂરી છે અન્યથા કોઈ દિવસ મોટી હોનારત સર્જાઇ શકે છે.