Vishesh News »

વાઘવળમાં ૧૧મી ફેબ્રુ.ઍ શિવમંદિરનો જીર્ણોદ્વાર થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૭ ઃ વલસાડ શ્રી સમર્થ રાષ્ટ્ર નિર્માણ ઍવં જનસેવા સંસ્થાન ટ્રસ્ટ પ્રેરિત શ્રી શિવ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ વાઘવડ દ્વારા કુદરતના ખોળે વસેલો અને પર્વતીય પર્યટન મથક વિલ્સન હિલ પાસેનાં ગામ તથા શંકર ધોધ તથા શ્રીદત્ત મંદિર માટે જાણીતું ધરમપુર તાલુકાનો વાઘવડગામ ખાતે તારીખ ૧૧/૦૨/૨૦૨૪ નાં રવિવારે શ્રી શિવ મંદિરનું જીર્ણોદ્ધાર વિધિનો કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખના સાનિધ્યમાં કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં સવારે ૯ કલાકેથી ગણેશ પૂજન તથા જીર્ણોદ્ધાર વિધિ, ૧૧ કલાકે સમાપન સમારોહ જેમાં સંતોનો આશીર્વચન અને મહેમાનોનું સ્વાગત અને ઍમનું વક્તવ્ય, ૧૨ કલાકે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંત કથાકાર નરેશભાઈ રામાનંદી અને કબીર મંદિર વલસાડના મહંત ૧૦૮ સર્વજ્ઞ મુનિ હરિદાસજી મહારાજ આશીર્વચન પાઠવશે.