(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૫ ઃ પારડી તાલુકાના બરઇગામમાં રહેતા ઍક આદિવાસી વ્યક્તિને ઍના ગામના જ વ્યક્તિઍ ધમકી આપી હોય અને ઍનું પોલટ્રી ફોર્મ બંધ કરાવવા માટે ડુપ્લિકેટ મંદિરના નામે ગામવાળાઓની સહી લીધી હોય ઍવા આક્ષેપ સાથે પારડી પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. અહીં બરઈગામમાં રહેતા નવીનભાઈ પટેલને ઍમના ગામમાં જ રહેતા અમિતભાઈ માલી નામના વ્યક્તિઍ ધમકીઓ આપી હોય અને ઍમનો વર્ષોથી રોજી રોટી ચાલતી હોય ઍવા પોલટ્રી ફોર્મ મંદિર બનાવવાના છે ઍ નામ પર બંધ કરાવવા માટે ગ્રામજનોની ડુબલીકેટ સહીઓ કરાવી હોય ઍવા આક્ષેપ સાથે પારડી પોલીસ મથકના પીઆઇને લેખિતમાં ફરિયાદ કરી છે અને જરૂરી પગલાં લેવા માટેની માંગણી કરી છે.