Vishesh News »

સેલવાસથી નરોલી સાયકલોથોન યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૪ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમા ૩૫મો રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનોની ઉજવણીના ભાગરૂપે આજે સિલવાસ કલેકટર કચેરીથી નરોલી સુધી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રશાસન અધિકારી ડો. અપૂર્વ શર્મા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંગ્રામ સિંઘ, મોટર વ્હીકલ ઈન્સ્પેક્ટર બિપિન પવાર અને ટ્રાન્સપોર્ટ વિભાગના કવલજીત ચૌહાણે સાય ક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. વામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૪૫૦-૫૦૦ જેટલા સાયકલ સવારોઍ ભાગ લીધો હતો. લગભગ ૧૦ કિલોમીટર સાઇકલ ચલાવ્યા પછી, તમામ સાઇકલિસ્ટ નરોલી પહોંચ્યા, જ્યાં ભાગ લેનારા તમામને સન્માનિત કરવામાં આવ્યા. વાહનવ્યવહાર વિભાગના નિરીક્ષક બિપિન પવારે પ્રાસંગિક જાણકારી આપી હતી. આ પ્રસંગે માર્ગ સલામતી અંગેના શપથ પણ લેવામાં આવ્યા હતા.