Vishesh News »

બીલીમોરાના જયોતિષને મથુરામાં પુરસ્કાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૪ ઃ બીલીમોરાનાં જ્યોતિષ શિશિર સરકારને ગુરુવારે મથુરામાં ફ્યુચર ફેસ પોઇન્ટ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય જ્યોતિષ પુરસ્કાર ઍનાયત કરાયો હતો. જેને પગલે બીલીમોરા પંથક માં આનંદ વ્યાપી ગયો હતો. બીલીમોરા આઈટીઆઈ નજીક વલ્લભબાગ માં રહેતા અને વર્ષોથી જ્યોતિષ તરીકે કાર્યરત આચાર્ય શિશિર નિત્યાનંદ સરકાર (૪૯) ને ગુરૂવારે ફ્યુચર ફેસ પોઇન્ટ દ્રારા આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલન માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય જ્યોતિષી પુરસ્કાર ઍનાયત કરાયો હતો. આ પુરસ્કાર ભારતીય જ્યોતિષ શાસ્ત્રજ્ઞ ગુરુદેવ અનિલ વત્સ નાં હસ્તે અપાયો હતો. જેને કારણે પ્રસંશકોમાં આનંદ વ્યાપી ગયો હતો. પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેક્નિકનાં સમન્વય થકી જ્યોતિષીય સમુદાય ને સમૃદ્ધિ ની દિશા માં આગળ વધવા ઇન્સ્ટાઍસ્ટ્રો ટેક્નિક મદદરૂપ બનશે. ડો. શિશિર ઍ ઍવોર્ડ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી, જ્યોતિષ શાસ્ત્ર નાં માધ્યમ થી સમાજને સત્ય માનવીય સમૃદ્ધિ દિશામાં માર્ગદર્શનની ખાતરી આપી હતી.