Vishesh News »

વલસાડ જિલ્લાના ૭ પીઆઇ અને ૬ પીઍસઆઇ ની જિલ્લા બહાર બદલી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૧ ઃ લોકસભાની ચૂંટણી પહેલા જ વલસાડ જિલ્લામાંથી ૭ જેટલા પીઆઈ અને ૬ પીઍસઆઇ ની બદલી કરવામાં આવતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. વલસાડ જિલ્લાની મહત્વ ઍવી ઍલસીબી ઍસઓજીના પી.આઈની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી થવાની છે. ત્યારે ગઈકાલે આઈઍઍસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે બાદ બીજા દિવસે સમગ્ર રાજ્યમાંથી પી.આઈ., પીઍસઆઇની બદલી કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાં પોલીસ ખાતામાં મહત્વની ઍવી ઍલસીબી શાખામાં ફરજ બજાવતા પીઆઈ વી.બી. બારડ અને ઍસ.આર.ગામીતને છોટાઉદેપુર તથા દાહોદ, વલસાડ ઍસ.ઓ.જી. પીઆઇ જે.ઍમ. ગોસ્વામીને સુરત શહેર, ઉમરગામ પીઆઇ વી.ડી. મોરીની અમદાવાદ શહેર, પારડી પોલીસ મથકના પીઆઇ જે.બી. સરવૈયા દેવભૂમિ દ્વારકા, વાપી જીઆઇડીસી પીઆઇ બી.જી. ભરવાડને ભાવનગર પીઆઇ આર. કે. રાઠવાને સીઆઈડી ક્રાઇમમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ભરૂચ જિલ્લાના યુ. બી. બારોટ અને ઍન. કે. વસાવા, નવસારીના પી.જી. ચૌધરી ભરૂચના ઍફ.ઍન.ઍમ. વસાવા અને યુ બી. બારોટ અને કચ્છના ઍસ.ઍમ. ગદુ, મહેસાણા જિલ્લામાંથી બી.કે. પટેલ અને ઍ.યુ. રોઝ, ડાંગ જિલ્લામાંથી ડી.ડી. પરમાર અમદાવાદ શહેરમાંથી ગઢવી અને ઍટીઍસમાં કે .જે. રાઠોડની બદલી વલસાડ જિલ્લા પીઆઇ તરીકે કરવામાં આવી છે.