Vishesh News »

આજે નારગોલમાં પદ્મશ્રી કિરણભાઈ વ્યાસનું સન્માન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૧ ઃ ભારત સરકાર દ્વારા તાજેતરમાં નારગોલ ગામના કિરણભાઈ વ્યાસને યોગ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે જેને લઈ સમગ્ર નારગોલ ગામ તેમજ સમગ્ર ઉમરગામ તાલુકાની પ્રજામાં આનંદનો માહોલ જોવા મળી રહ્ના છે. પદ્મશ્રી કિરણભાઈ આજે ફ્રાન્સથી નારગોલ પરત થયા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સમારોહનું વિશેષ આયોજન ભંડારી સમાજ નારગોલ હૉલ-જગદંબાધામ ખાતે તા ૨/૨/૨૦૨૪ શુક્રવારના રોજ સાંજે ૭ઃ૦૦ કલાકે રાખવામાં આવેલ છે. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ સહિત પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, વિવિધ સમાજ અને સંસ્થાના હોદ્દેદારો તેમજ જાહેર જનતા સંમેલિત થઈ કિરણભાઈ વ્યાસનો વિશેષ સન્માન કરશે. આ કાર્યક્રમમાં નારગોલ સહિત ઉમરગામ તાલુકાના અન્ય ગામોના આગેવાનો પણ કિરણભાઈનું સન્માન કરવા હાજરી આપશે.