Vishesh News »

વાપીની આર.કે. દેસાઈ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૧, આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના સ્થાપક સ્વ શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ અને સંસ્થાના ચેરમેન મિલન દેસાઈના જન્મ દિન નિમિત્તે સમાજને ઉપયોગી થવાના હેતુસર આ શુભ વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના નાણામંત્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગનાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ઉદઘાટન કરશે. રક્તદાન થી ઍક નવું જીવન તથા રક્તદાનઍ મહાદાન આવા વિચારોને પ્રત્યેક્ષ રીતે કાર્યાન્વિત કરી અમારી સંસ્થા દર વર્ષે વિદ્યાર્થીઓમાં તેમજ તમામ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરે છે. તો સર્વને ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ના સવારે ૯.૩૦ કલાકે આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના કેમ્પસમાં રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.