Vishesh News »

ઉમરગામની ઍમ.કે. મહેતા કેમ્પસમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૩૧, નવનિર્માણ કેળવળી મંડળ સંચાલિત શ્રી ઍમ કે મેહતા ક્રેમ્પસમાં ૭૫ મો પ્રજાસતાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. ક્રેમ્પસના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા સરસ દેશભક્તિ ગીત, દેશભક્તિ ડ્રાન્સ અને પ્રવચનો રજુ કરી વાતાવરણ દેશભક્તિ બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અપાર ઇન્ડ્રીસ્ટીના ચેરમેન ઍન્ડ મેનેજીંગ ડાયરેકટર કૃશાલ દેસાઈ હાજર રહ્ના હતા. તેઓઍ વિદ્યાર્થીઓને દેશભક્તિ વિશે, તેમના જીવનના સંઘર્ષા, તેમજ ધાર્મિક બાબતોનું પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યો હતા. આ સરસ પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ થવા બદલ કેમ્પસના સેક્ટરી સુકેતુભાઈ મેહતા ઍ ક્રેમ્પસ ના દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.