Vishesh News »

થ્રીડીના પોલીસકર્મીઅો માટે નવા ફોજદારી કાયદાઅો અંગે ત્રિદિવસીય તાલીમ શિબિર શરુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૩૦ ઃ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે દાનહ અને ડીડીના પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્રનો પ્રારંભ થયો હતો. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસ ખાતે નવા ફોજદારી કાયદાઓ વિશે દાનહ અને ડીડીના પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસીય તાલીમ સત્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, સયાલીના વાઈસ પ્રિન્સિપાલ નવીન રોહિત, ડીઍઍનઆઈપીઍસ અને જીઍનઍલયુ ગાંધીનગર અને સેલવાસ અધ્યાપકો ઉપસ્થિત રહ્ના હતા. પોલીસ કર્મચારીઓને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા, ૨૦૨૩માં તાલીમ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંસ્થાનવાદી યુગના કાયદાઓ બદલવા, ફોજદારી ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને ન્યાયની ડિલિવરી સુનિડ્ઢિત કરવાના આશયથી સંસદે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સાક્ષ્ય સંહિતા (, અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ઍમ ત્રણ નવા કાયદા પસાર કર્યા છે, જે અનુક્રમે ભારતીય દંડ સંહિતા (૧૮૬૦), ભારતીય પુરાવા અધિનિયમ (૧૮૭૨), અને ફોજદારી કાર્યવાહી અધિનિયમ (૧૮૯૮)નું સ્થાન લેશે. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પોલીસ વિભાગ ની વિનંતી પર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ત્રણ દિવસનું ઍક ઍવા ૧૦ તાલીમ કાર્યક્રમનુ આયોજન કરશે. આ પૈકી પહેલા કાર્યક્રમનો આજે પ્રારંભ થયો છે. પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્ના છે.