દમણમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા શ્રી યોગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ કોલેજના મેદાનમાં આયોજિત યોગ શિબિરનું ઉદ્ઘાટન યોગ ગુરુ શૈલેષ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે આર્ટ ઓફ લિવિંગ દમણના અશોક રાણા અને અન્ય સભ્યો હાજર રહ્ના હતા. યોગાભ્યાસ સવારે ૬ વાગ્યાથી શરૂ થઈને ૮ વાગ્યા સુધી ચાલુ રહ્ના હતો. પ્રથમ દિવસે ૧૨૦૦ થી વધુ લોકોઍ ભાગ લીધો હતો. યોગ ગુરુ શૈલેષ રાઠોડે જણાવ્યું કે, આ યોગ શિબિર ૧૩ જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં પ્રાણાયામ, યોગાસન અને ખાવા-પીવાની સાથે જીવનને ખુશ રાખવાની યુક્તિઓ શીખવવામાં આવી રહી છે. તણાવને સુખમાં કેવી રીતે રૂપાંતરિત કરવું અને રોગમુક્ત જીવન કેવી રીતે બનાવવું શીખવવામાં આવી રહ્નાં છે.