(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ વાપી ભાજપા તાલુકા અગ્રણી શૈલેષ પટેલની હત્યામાં સંડોવાયેલા અન્ય ઍક સહ આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે. પ્રા વિગત મુજબ વાપીના કોચરવાગામે રહેતા અને વહેલી સવારમાં રાતા ગામે આવેલ શિવ મંદિરમાં પરિવાર સાથે પૂજા કરવા ગયેલા શૈલેષભાઈ કિકુભાઈ પટેલની તેમની જ સ્કોર્પીયોં કારમાં બે અજાણ્યા શુટરોઍ ફાયરિંગ કરી મોત નીપજાવી ફરાર થવાની ઘટનામાં તેમના જ ગામના ઈસમોઍ જુની અદાવતમાં સોપારી આપી હત્યા કરાવી હોવાનું બહાર આવતા પોલીસે શરદ પટેલ, વિપુલ પટેલ, મિતેશ પટેલ તથા અન્ય પાંચ જેટલા આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે ચાર્જશીટ ફાઈલ ફાઈલ કર્યા બાદ આરોપી મિતેશ ઈશ્વરભાઈ પટેલ દ્વારા જામીનમુક્ત થવા વાપી કોર્ટમાં કરેલ જામીન અરજી સંદર્ભે આજે વાપી કોર્ટના ઍડિશનલ સેશન જજ ઍમ.પી. પુરોહિતે સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલોને રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.