Vishesh News »

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, ડીઇઅો ઍપ લોન્ચ કરાઈ

(દમણગંગા ટાઇમ્સ) વલસાડ,તા.૨૫ઃ વલસાડની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ‘‘મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ’’ થીમ આધારિત કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના મતદારો અને અધિકારીઓ માટે ઉપયોગી ઝ઼ચ્બ્ ખ્ભ્ભ્ નું લોચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી -વ- કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેઍ મતાધિકારના ઉપયોગથી શું પરિવર્તન આવી શકે તે અંગે વિસ્તૃત છણાવટ કરતા જણાવ્યું કે, આપણી આજુબાજુના ઘણા દેશોમાં ચૂંટણી સમયે લશ્કરી કવાયત અને યુદ્ધ જેવો માહોલ જોવા મળે છે. જ્યારે આપણો દેશ શાંતિના માહોલમાં લોકશાહીનો પર્વ ઉજવે છે. અધિકારીઓ મતદાન પણ કરે છે અને મતદાનની સમગ્ર -ક્રિયા પણ પૂર્ણ કરાવે છે. જિલ્લામાં ૧૩૫૯૬ મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે આઠ કલાક સુધી અનેક અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સુરક્ષા માટે પોલીસ જવાન તૈનાત હોય છે. મત ગણતરીના દિવસે પણ જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરી નિર્વિઘ્ને પૂરી થાય તે માટે સતત કાર્યશીલ રહે છે. આપણે અધિકાર અને કર્તવ્યની વાત કરીઍ તો આપણને ખબર હોવી જોઈઍ કે, આપણા ઘરની પાસે રસ્તા, પાણી કે વાહન વ્યવહારની જે સુવિધા મળે તે આપણા મતથી મળે છે. દેશને જીતાડવા માટે આપણે મત આપીઍ છે. સ્વતંત્ર અને લોકશાહી દેશના નાગરિક તરીકે આપણને મતદાનનો અધિકાર આપ્યો છે તેનો ઉપયોગ પોતાના માટે અને દેશના માટે કરીશું ઍવી કલેકટરશ્રીઍ સૌ મતદારોને અપીલ કરી હતી. લોકશાહીમાં ઍક ઍક મતનું મહત્વ સમજાવતા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીઍ જણાવ્યું કે, આપના દેશમાં આઝાદી પછી સ્વતંત્ર ચૂંટણી થતા લોકશાહી જીવંત રહી છે. લોકતંત્ર ઍક ઍવી પ્રણાલી છે. જેમાં તમે કોઈ પણ ધર્મ,વર્ગ, જાતિ, સમાજ, ભાષા કે ક્ષેત્રના હોય તમને મતદાનનો સંપૂર્ણ અધિકાર છે. સરકાર સામે લોકોની અનેક ફરિયાદ હોય છે પણ ઘણા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નથી. લોકશાહીમાં ઍક ઍક મતનું મહત્વ છે. ઍક મતથી ચૂંટણી હારી ગયાના અનેક બનાવો છે. જેથી દરેક મતદારે પોતાના મતનો ખાસ ઉપયોગ કરવો જોઈઍ. જેનાથી દેશ આગળ વધશે. આપણા દેશમાં આપણે શાંતિ અને નિર્ભિક રીતે મતદાન કરી શકીઍ છે. મતદાનથી કોઈ પાર્ટી ચૂંટણી જીતતી નથી પણ દેશ જીતે છે. આ પ્રસંગે અવસર (હું ભારત છું) શોર્ટ ફિલ્મ અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારનો રેકોર્ડેડ સંદેશ સૌઍ નિહાળ્યો હતો. રાષ્ટ્રીય મતદાતા દિવસ અન્વયે ૧૭૯-વલસાડ વિધાનસભા બેઠકના સુપરવાઈઝર કિર્તેશ ઍમ ગોહિલે વક્તવ્ય આપ્યું હતું. લોકસભા ચૂંટણી-૨૦૨૪ પારદર્શક અને સુગમતા ભરી રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અધિકારીઓ અને મતદારોને જિલ્લાના તમામ મતદાન મથકો, ચૂંટણીને લગતા મહત્વના અપડેટ્સ અને સૌથી નજીકના મતદાન મથકની માહિતી તેમજ મતદાર યાદીમાં પોતાનું નામ તપાસવા સહિતની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે ઝ઼ચ્બ્ ઍપ. આ પ્રસંગે લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં વધુ લોકો આ ઍપ ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે ૧૮૦ પારડી વિધાનસભા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી -વ- નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, નોડલ ઓફિસર મતદાર જાગૃતિ -વ- જિલ્લા શિક્ષણાધિકારી ઍમ.સી.ભૂસારા, નોડલ ઓફિસર અસક્ષમ મતદારો -વ- જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વી.ઍમ. ગોહિલ, વલસાડ તાલુકા મામલતદાર પી.કે.મોહનાની, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિત સહિતના અધિકારીઓ- કર્મચારીઓ અને વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે કર્યું હતું. આભારવિધિ મામલતદાર ચૂંટણી તૃ ગામીતે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુશ્બુ ભંડારીઍ કર્યું હતું.