Vishesh News »

દેગામથી આદિવાસી સંમેલનમાં ગયેલો યુવક ત્ર્યંબકેશ્વરથી ગુમ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૨૩ ઃ ચીખલી તાલુકાના દેગામગામેથી ઍક યુવાન નૈરોગેજ ટ્રેનમાં બેસી વઘઈ ઍક આદિવાસી સંમેલનમાં ગયા બાદ બીજા દિવસે ત્રંબકેશ્વર છુ કહીને ફોન આવ્યા બાદ ઘરે પરત ન આવતા યુવાનની પત્નીઍ ચીખલી પોલીસ મથકે પોતાનો પતિ ગુમ થયો હોવાની ફરિયાદ કરી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલીના દેગામ રેલવે કવાર્ટર માં રહેતો બીજેન્દ્ર મુનીરામ યોગી ઉ.વ. ૩૮ જે તા. ૪.૧.૨૪ ના રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યાના અરસામાં દેગામ થી ચીખલી રોડ રેલવે સ્ટેશનથી વઘઈ તરફ જતી નેરોગેજ રેલ્વે ગાડીમાં બેસીને વઘઈ ખાતે આવેલ ડોકપાતળ ગામે આદિવાસી સંમેલનમાં ગયો હતો પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા તેમજ બીજેન્દ્ર યોગી સાથે ગયેલ યુવાનને મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરતા બીજેન્દ્ર યોગી મારી સાથે રહ્ના છે ઍમ જણાવ્યું હતું અને ત્યારબાદ વિજેન્દ્રનો કોઈ પત્તો ન મળતા બીજા દિવસે વિજેન્દ્ર યોગી ઍ પોતાની પત્નીને અન્ય યુવાનના મોબાઇલ ફોન ઉપર ફોન કરી જણાવેલ કે હું ત્રંબકેશ્વર છું અને મને આધાર કાર્ડ, પાનકાર્ડ ના ફોટો આ નંબર ઉપર વોટ્સઍપ કર ઍમ જણાવ્યું હતું અને પત્ની લક્ષ્મીબેન યોગીને જણાવેલ કે હું કાલે ઘરે પરત આવીશ પરંતુ આજ સુધી બીજેન્દ્ર યોગી ઘરે ન આવતા અને કોઈ પત્તો ન લાગતા આખરે બીજેન્દ્ર યોગીની પત્ની લક્ષ્મીબેન યોગી ઍ ચીખલી પોલીસ મથકે પોતાનો પતિ ગુમ થયો હોવાની ફરિયાદ કરતા ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.