(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૩ ઃ વાપીમાં કિશોર વયના બાળકો ગુમ થઈ જવાની ઘટના વારંવાર બનતી રહે છે ઍ જ રીતે યુવતીઅો ગુમ થવાની ઘટનાઅો પણ નોîધાતી રહે છે ત્યારે ગત અઠવાડિયામાં બે કિશોરો ગુમ થયા હોવાનું જાહેર કરાયું છે. વલસાડ જિલ્લાના વાપી રામ પ્રવેશ યાદવની ચાલી, ટાંકી ફળિયા, ગીતાનગર, નવા ગરનાળા પાસે રહેતા (મૂળ રહે.મહિમા પુર્વા, પંડિત પુર્વા, થાના-લાલગંજ, જિ-પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) ૨૭ વર્ષીય ઉમેશ ચંદ્રીકપ્રસાદ વર્મા તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રાત્રે ૮-૦૫ વાગ્યે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્ના વિના ક્યાંક જતા રહ્ના હતા. જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. કોઈક કારણસર પોતાનો મોબાઈલ તથા આધારકાર્ડ પણ રૂમ ખાતે જ મૂકી ગયા હતા. તેઓ જમણાં પગે લંગડાઇને ચાલે છે. જયારે બીજા બનાવમાં વાપીના ચણોદ ખાતે પાયોનીયર બેકરીની સામે રહેતા ગુડીયા અર્જુનભાઈ ગીરે યાદવનો ૧૫ વર્ષીય છોકરો બાલકૃષ્ણ રવિવારે સાંજના સમયે ટ્યૂશને ગયો હતો. જે બાદ તે પરત આવ્યો ન હતો. આ સગીર આ અગાઉ પણ બેથી ત્રણ વાર ઘરેથી કહ્ના વગર જતો રહ્ના હતો.