અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ વલસાડ છીપવાડ શ્રી ધૂળીયા હનુમાનજી મંદિર છીપવાડ બપોરે ૩ઃ૩૦ કલાક થી પારડી સાંઢપોરના હનુમાનજી મંદિર સુધી સાંજે ૭ઃ૩૦ કલાક સુધી કથાકાર મિતેશભાઈ જોશીની વાજતે ગાજતે દંડવત યાત્રા નીકળતા તેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યાં મહા આરતી કરવામાં આવી હતી. ભવ્ય દંડવત યાત્રા માં દેવાંગભાઈ દેસાઈ ઍ ડ્રોનથી ફૂલોનો વર્ષા કરી હતી.