Vishesh News »

વેલવાચના પોલ્ટ્રી ફાર્મમાં અસહ્ના ગરમીથી ૮૦૦થી વધુ મરઘા ટપોટપ મૃત્યુ પામ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા.૧૬ ઃ અસહ્ના ગરમીના કારણે વલસાડ તાલુકાના વેલવાચગામના કુંડી ફળિયામાં આવેલા પોલ્ટ્રીફાર્મમાં ટપો ટપમાં ૮૦૦ થી વધુ મરઘાના મોત થતા પોર્ટ્રી ફાર્મ સંચાલક મૂંઝવણમાં મુકાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આ ગરમીના કારણે પશુઓ પંખીઓ અને મનુષ્ય પણ ભારે પરેશાન થઈ ગયા છે. વલસાડ તાલુકાના વેલવાચગામના કુંડી ફળિયામાં અશ્વિનભાઈ નામનો વ્યક્તિનું મરઘાના પોલ્ટ્રીફાર્મ આવેલું છે. આ પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘાંઓ ઉછેરવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધતાં આજરોજ પોલ્ટ્રી ફાર્મમાં ૮૦૦થી વધુ મરઘાના મોત થયા હતા. અચાનક આંખની સામે તરફડિયા મારતા મરઘાના મોત થતા પોલ્ટ્રી ફાર્મ ચલાવતા સંચાલક પણ મૂંઝવણમાં મુકાયો હતો. જોકે આ પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘા લાવતા હોવાનું જાણવા મળ્યું છે. ગરમીના કારણે પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના મોત થતા વલસાડ તાલુકામાં આવેલા અને પોલ્ટ્રી ફાર્મના ધંધા સાથે સંકળાયેલા લોકોઍ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.