વલસાડ જિલ્લા કલેક્ટરે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી
- byDamanganga Times
- 22 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના - ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (લ્ફૂશ્રશ્ ચ્ઁ્યૃફૂર્શ્વીદ્દજ્ઞ્ંઁ) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આગામી તા. ૩૧ મે સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકશે. જે અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી પૂર્ણ કરી છે.
કલેક્ટરઍ વલસાડ જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. વસ્તી ગણતરીમાંથી પ્રા માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. નાગરિકો સ્ન્ફૂ.ણૂફૂઁસ્ન્્યસ્ન્.િંંરુ.જ્ઞ્ઁ પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે.
