વાપી મનપાના બે સભ્યોની ઍફિડેવિટ જ ખોટી ?
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૩ માંથી ચૂંટાઈ આવેલા ભાજપના ૨ સભ્યો સામે કોગ્રેસના ઉમેદવારઍ ચૂંટણી અધિકારીને દસ્તાવેજોમાં વિસંગત જન્મતારીખ તથા ખોટી માહિતી દર્શાવવા અંગે ફરિયાદ કરી છે.
વાપી મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૩ માંથી હારી ગયેલા કોગ્રેસના ઉમેદવાર મોહમ્મદ ઇમરાન અબ્દુલ રઉફ મિર્ઝાઍ રિર્ટનિંગ ઓફિસર તથા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ ઍક ફરિયાદ કરી છે, જેમાં આ વોર્ડ માંથી ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર શમ્સુદ્દીન નૂરુદ્દીન ચૌધરી તેમજ હિન્દી વિદ્યામંદિરની પ્રિન્સિપાલ અને ઉમેદવાર સુનિતા તિવારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.અરજી મુજબ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, કોપરલી રોડ, છરવાડા, વાપી ખાતેના રેકોર્ડ અનુસાર ઉમેદવાર શમ્સુદ્દીન નૂરુદ્દીન ચૌધરીના પ્રવેશ સમયે વાપી નગરપાલિકા દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જન્મ તા. ૧૩/૧૧/૧૯૯૮ દર્શાવવામાં આવી હતી. અરજીમાં વધુમાં જણાવાયું છે કે આ રેકોર્ડને શાળાઍ તા. ૦૩/૦૩/૨૦૧૬ ના સત્તાવાર પત્ર દ્વારા ચકાસેલો હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને તે ઘ્ગ્લ્ચ્ ના રેકોર્ડથી પણ સમર્થિત હોવાનું જણાવાયું છે.
પરંતુ, અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હિન્દી વિદ્યામંદિર દ્વારા આપવામાં આવેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ તારીખ ૧૬/૦૩/૧૯૯૪ દર્શાવવામાં આવી છે. વધુમાં, હિન્દી વિદ્યામંદિર દ્વારા આપવામાં આવેલ અન્ય પત્રમાં ઉમેદવારને ધોરણ-૧ માં તા. ૧૪/૦૬/૨૦૦૩ ના રોજ -વેશ આપવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે અગાઉના રેકોર્ડ સાથે ગંભીર વિસંગતતા ઊભી કરે છે.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પહેલાથી અસ્તિત્વમાં રહેલા સત્તાવાર રેકોર્ડ હોવા છતાં બાદમાં વિરુદ્ધ દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કરવામાં આવ્યો, જે ખોટા દસ્તાવેજો બનાવવાના, સાચી માહિતી છુપાવવાના, સત્તાવાર સત્તાધિકારીઓ સમક્ષ ખોટી માહિતી રજૂ કરવાની તથા ચૂંટણી પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો વાપરવાની ગંભીર બાબતો ઉભી કરે છે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે સુનિતા તિવારી, હિન્દી વિદ્યામંદિરની પ્રિન્સિપાલ હોવા છતાં, વિસંગતતાઓની જાણ હોવા છતાં આ દસ્તાવેજો જારી અને પ્રમાણિત કરવામાં સંડોવાયેલા હોવાનું જણાય છે. અરજદારે રિર્ટનિંગ ઓફિસર સમક્ષ પ્રાથમિક તપાસ શરૂ કરવાની માંગણી કરી છે તથા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, હિન્દી વિદ્યામંદિર અને વાપી નગરપાલિકામાંથી મૂળ રેકોર્ડ મંગાવવાની વિનંતી કરી છે. સાથે જ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ યોગ્ય ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે. આ અરજી ને લઈ વાપી મહાનગર પાલિકામાં ભાજપની ચૂંટાયેલી બોડી સત્તા ગ્રહણ કરે તે પહેલાં જ રાજકારણ ગરમાયું છે.
આ મામલે સંપર્ક કરતા અરજદાર પક્ષના વકીલ ઍડવોકેટ શશાંકકુમાર અનિલકુમાર મિશ્રાઍ જણાવ્યું હતું કે અરજદારના મત મુજબ રેકોર્ડ પર મુકાયેલ દસ્તાવેજી સામગ્રી ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા અને પારદર્શિતાને અસર કરતી ગંભીર વિસંગતતાઓ દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરજદારનો હેતુ માત્ર ઍટલો જ છે કે કોઈપણ વ્યક્તિ લોકશાહી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી ન શકે. ઍડવોકેટ મિશ્રાઍ વધુમાં જણાવ્યું હતું કે જો ઍક ક્ષણ માટે માનીઍ કે ઉમેદવાર પુખ્ત વયનો હતો અને ચૂંટણી લડવા માટે પાત્ર હતો, તો પણ ખોટું અથવા ભ્રામક ઍફિડેવિટ રજૂ કરવાનો મુદ્દો સ્વતંત્ર અને ગંભીર કાનૂની મુદ્દો બની રહે છે. તેમના જણાવ્યા મુજબ, આ વિવાદ માત્ર ઉંમરના મુદ્દા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં સત્તાવાર સત્તાધિકારીઓ સમક્ષ વિસંગત અને ખોટી માહિતી રજૂ કરવાના આક્ષેપો સાથે સંકળાયેલો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેટ ઇલેક્શન કમિશનની નોટિફિકેશનમાં ખોટી, ભ્રામક અથવા દબાવેલી માહિતી ધરાવતા ઍફિડેવિટ અંગે કાર્યવાહી કરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર ઉમેદવાર પુખ્ત વયનો છે ઍટલા માટે ખોટું ઍફિડેવિટ કાયદેસર બની જાય તેવી કોઈ જોગવાઈ તેમાં નથી. ચૂંટણી ઍફિડેવિટમાં સાચી માહિતી આપવી ફરજિયાત છે અને તે લોકશાહી પ્રક્રિયાની પારદર્શિતા, નિષ્પક્ષતા અને શુદ્ધતાનો આધારસ્તંભ છે. હાલ મામલો સત્તાવાર સત્તાધિકારી સમક્ષ પેન્ડિંગ હોવાથી, ઍડવોકેટ મિશ્રાઍ મામલાના ગુણદોષ અંગે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હાલ આ મામલો સંબંધિત ચૂંટણી સત્તાધિકારી સમક્ષ વિચારાધીન છે.
