આજે કોચરવાના મંદિરનો પટોત્સવ ઉજવાશે
- byDamanganga Times
- 07 May, 2026
વાપી, તા.૦૬ ઃ વાપી જીઆઇડીસીના થડફેસ ખાતે આવેલ કોચરવા ગામેના શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં તા. ૭-૫-૨૦૨૬ ને ગુરૂવારના રોજ સાર્વજનિક શિવ-પાર્વતી પાઠોત્સવની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન હવન અને ઓમ તેમજ બપોરે ૧૨ઃ૩૦ કલાકે સમૂહ મહા આરતી અને બપોરે ૧૨ઃ૩૦ થી ત્રણ કલાક દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરાયું છે સમગ્ર કાર્યક્રમનું આયોજન ધીરૂભાઇ પટેલ અને શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા કરાઈ રહ્નાં છે.
