અથાલમાં સુપ્રિમના આદેશ બાદ ૯.૭૦ ઍકર ગૌચર જમીન સરકારે કબ્જે લીધી
- byDamanganga Times
- 06 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૦૫ ઃ દાદરા અને નગર હવેલી પ્રશાસને સુપ્રીમ કોર્ટના આદેશના આધારે અથાલ ગામમાં આવેલી ૯.૭૦ ઍકર ગ્રાસલૅન્ડ જમીન પર કબજો મેળવી લીધો છે. આ કાર્યવાહી લ્્યષ્ટશ્વફૂફૂ ઘ્ં્યશ્વદ્દ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ીના ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના આદેશને અનુસરીને કરવામાં આવી છે.
કલેકટર કચેરી દ્વારા જાહેર કરાયેલા પ્રેસ નોટ મુજબ, આ મામલે તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અરજી કરવામાં આવી હતી. તેના આધારે ૪ મે ૨૦૨૬ના રોજ કલેક્શન દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશના અમલરૂપે ૫ મે ૨૦૨૬ના રોજ પ્રશાસને અથાલ ગામના સર્વે નંબર (જૂના) ૩૩૫/૧, ૩૪૦/૨ અને ૩૪૨ની જમીનનો સમાવેશ થાય છે, કબજામાં લીધી છે. પ્રશાસનના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી સરકારી ગ્રાસલૅન્ડ જમીન પાછી મેળવવાના અભિયાનનો ઍક ભાગ છે. આ પહેલા પણ જિલ્લામાં વિવિધ ગામોમાંથી આશરે ૨૭૨.૩૦ ઍકર ગૌચરણ જમીન સરકાર દ્વારા કબજામાં લેવામાં આવી ચૂકી છે.
